Pandit Dindayal Awas yojana 2023



 પંડિત દિનદયાળ ઉપાધ્યાય આવાસ યોજના 2023 : પંડિત દીન દયાળ આવાસ યોજના 2023 હેઠળ લાભ મેળવવા ઈચ્છાતા અને સરકારશ્રીએ ઠરાવેલ માપદંડોની પાત્રતા ધરાવતા અરજદારો પાસેથી esamajkalyan.gujarat.gov.in પોર્ટલ પર 01-05-2023 થી 31-05-2023 સુધી ઓનલાઈન અરજીઓ મંગાવવામાં આવી છે.


પંડિત દિનદયાળ ઉપાધ્યાય આવાસ યોજના 2023

Pandit Din Dayal Upadhyay Awas Yojana 2023 : પંડિત દીનદયાળ ઉપાધ્યાય આવાસ યોજના હેઠળ રાજ્યના સામાજિક અને શૈક્ષણિક રીતે પછાત વર્ગ, આર્થિક રીતે પછાત વર્ગ અને વિચરતી-વિમુક્ત જાતિઓના ઘર વિહોણા વ્યક્તિને મકાન સહાય આપવાની યોજના અમલમાં છે.

પંડિત દિનદયાળ ઉપાધ્યાય આવાસ યોજના 2023

પોસ્ટ નામ :-Pandit Din Dayal Upadhyay Awas Yojana 2023

રાજ્ય  :-ગુજરાત

સત્તાવાર વેબસાઈટ :-esamajkalyan.gujarat.gov.in

કેટલી સહાય :- 1,20,000/-

સામાજિક અને શૈક્ષણિક રીતે પછાત વર્ગ, આર્થિક પછાત વર્ગ અને વિચરતી-વિમુક્ત જાતિના દરેક જીલ્લાના અરજદારો ઓનલાઈન અરજી કરી શકશે. વિચરતી વિમુક્ત જાતિ માટે લક્ષ્યાંક પૂર્ણ ન થાય ત્યાં સુધી ઓનલાઈન પોર્ટલ ચાલુ રાખવામાં આવશે. આ સમયગાળા દરમ્યાન જે જીલ્લામાં લક્ષ્યાંક સામે અરજીઓ ન મળે તો ઉક્ત સમયગાળો લંબાવવામાં આવશે. જેથી અરજદારો ઓનલાઈન પોર્ટલ જોતા રહેવું.

વર્ષ ૨૦૨૧-૨૨ અને વર્ષ ૨૦૨૨-૨૩ની ઓનલાઈન પડતર અરજીઓ વર્ષ ૨૦૨૩-૨૪ ના જે તે જીલ્લાના લક્ષ્યાંકને સિદ્ધિ કરવા માટે પ્રથમ અગ્રીમતા આપવામાં આવશે ત્યારબાદ ચાલુ વર્ષની અરજીઓ ધ્યાનમાં લેવામાં આવશે.

પંડિત દીનદયાળ આવાસ યોજનાનો હેતુ

Pandit Din Dayal Upadhyay Awas Yojana 2023-24 દરમિયાન રૂ. 1,20,000ની મકાન સહાય માટે ઓનલાઈન અરજી પ્રક્રિયા શરુ કરવામાં આવી છે. જેમાં ત્રણ હપ્તામાં રકમ આપવામાં આવે છે પહેલા હપ્તામાં રૂ. 40,000 અને બીજા હપ્તામાં રૂ. 60,000ની રકમ મળવા પાત્ર છે. મકાન પૂરું થયા બાદ શૌચાલય બનાવી મકાનની તકતી માર્યા બાદ છેલ્લો હપ્તો 20,000 મળે છે. પહેલા હપ્તાની તારીખથી ૨ વર્ષમાં મકાનની કામગીરી પૂર્ણ કરવાની હોય છે.

  • કાર્ડ / રેશનકાર્ડ પૈકી કોઈપણ એક)
  • કોઈ ગરીબી આવાસ યોજના હેઠળ જમીન/તૈયાર મકાન મળેલ હોય તે ફાળવણીના હુકમની, એલોટમેન્ટ લેટરની પ્રમાણિત નકલ.
  • જમીન માલિકીનું આધાર / દસ્તાવેજ / અકારની પત્રક / હક પત્રક / સનદ પત્રક ( જે લાગુ પડતુ હોય તે )
  • અરજદારને મકાન સહાય મંજુર કરવા માટે ગ્રામપંચાયતના તલાટી મંત્રી / સિટી તલાટી મંત્રી / સર્કલ ઇન્સ્પેક્ટરે આપવાનું પ્રમાણપત્ર
  • મકાન બાંધકામ કરવાની રજા ચિઠ્ઠી
  • BPLનો દાખલો
  • પતિના મરણ નો દાખલો (જો વિધવા હોય તો)
  • જે જમીન ઉપર મકાન બાંધવાનું છે, તે જમીન ના ક્ષેત્રફળ જણાવતા ચતુર્દિશા દર્શાવતા નકશા ની નકલ (તલાટી-કમ-મંત્રિશ્રિ)ની સહીવાળી.
  • પાસબુક / કેન્સલ ચેક
  • અરજદારના ફોટો
  • અન્ય જરૂરી ડોક્યુમેન્ટ

પંડિત દીનદયાળ ઉપાધ્યાય આવાસ યોજના 2023 ઓનલાઈન અરજી કઈ રીતે કરશો?

પંડિત દીનદયાળ ઉપાધ્યાય આવાસ યોજના 2023 ની અરજી માત્ર ઓનલાઈન જ સમાજ કલ્યાણ વિભાગની સત્તાવાર આપેલ વેબ સાઈટ પર જઈને જ કરવાની રહેશે.

  • સૌપ્રથમ સામાજિક ન્યાય અધિકારીતા વિભાગની સત્તાવાર વેબસાઈટ પર જાઓ
  • પ્રથમ વાર હોઈએ એટલે રજીસ્ટ્રેશન કરવાનું રહેશે.
  • માંગેલ તમામ માહિતી ભરો અને સબમિટ કરો.
  • હવે લોગીન મેનુમાં પર ક્લિક કરો આઈડી, પાસવર્ડ અને કેપ્ચા કોર્ડ નાખો અને લોગીન કરો.
  • આ રીતે તમે સાઈટ પર લોગીન કરી શકશો.

નોંધ : આ યોજનાની માહિતી અમને વિવિધ માધ્યમ દ્વારા મળેલ છે તેથી ઓફિશિયલ વેબ સાઈટ પર જઈને યોજનાની લગતી માહિતી ચેક કરી લેવી અને પછી ઓનલાઈન અરજી કરવી.

સત્તાવાર વેબસાઈટhttps://esamajkalyan.gujarat.gov.in/
આવાસ યોજના 2023 જાહેરાતઅહીંથી વાંચો
નવા યુઝર માટે ઓનલાઈન રજીસ્ટ્રેશનઅહીંથી રજીસ્ટ્રેશન કરો
રજીસ્ટ્રેશન કરેલ યુઝર અરજીઅહીંથી અરજી કરો

0 Response to "Pandit Dindayal Awas yojana 2023"

Post a Comment

Iklan Tengah Artikel 1

Iklan Tengah Artikel 2

Iklan Bawah Artikel